॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૩: ચાર પ્રકારના મોટાપુરુષનું

નિરૂપણ

હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વડવાનળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “સત્સંગિજીવનમાં તેનાં લક્ષણ કહ્યાં છે જે, ‘પુષ્પહારાય સર્પાય ।’ એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવાં લક્ષણ હોય, તથા ઘણાક જીવને ભગવાન ભજાવે ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય ને પોતે જતા રહે એવા હોય, તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા; માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વ્યાવહારિક મોટાઈ છે. પણ વચનામૃતમાં મોટાઈ કહી છે જે ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાળે એ મોટા છે; ને વડવાનળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે? માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી.”

મૂળ શબ્દ ‘સર્પાયન્તે પુષ્પહારા’ એવો છે. (સત્સંગિજીવન: ૧/૩૬/૭૦). અર્થ: ભગવાનના સાચા ભક્ત - સંતને મળયાગર ચંદનનો લેપ ઝેરના કાદવના લેપ જેવો લાગે છે. ફૂલના હાર તેને સર્પ જેવા લાગે છે. અલંકારો દૂષણરૂપ જણાય છે.

[સ્વામીની વાતો: ૫/૧૪૨]

Harishankarbhāi asked, “How should one understand the Sadhu who is like the vadvānal fire?”

Gunātitanānand Swāmi replied, “In the Satsangijivan, the qualities of such a sādhu are explained: pushpahārāya sarpāya (understands a garland to be like a snake). Moreover, he forever beholds the image of God, and his characteristics are according to the definition of satsang. Furthermore, he inspires many jivas to worship God, remains completely pure, and never disobeys the commands of God. Others may encourage one to worship God due to the strength of God, yet they abandon God. The guru who instilled satsang to Gopāl Swāmi himself left; therefore greatness should not be understood in this way. This type of greatness is worldly. In the Vachanāmrut, greatness has been defined as having firm, unflinching faith in God and following his commands; such a person is great. If he is not like the vadvānal fire, then how can he remain unaffected, despite making so many people satsangis? Consequently, what we believe to be great is not greatness. Greatness is based on following Mahārāj’s command.”

The original words are: ‘Sarpāyante pushpahārā’. Meaning: A genuine devotee of God feels that being anointed with maliyāgar chandan is like being anointed with poison, garlands of flowers are like serpents, and embellishments (of the body) are all flawed.

[Swāmini Vāto: 5/142]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase